બાવાભાઈ બચી ગયા

બાવાભાઈ બચી ગયા

મટવાડ મોખલા ફળીયાના બાવાભાઈ સુખાભાઈ સુરતમાં એક ખોલી ભાડે રાખીને સામાન્ય નોકરી કરતા હતા. આ તો રાષ્ટ્રવાદનો જમાનો હતો. બ્રીટીશ સરકારને કેમ હંફાવવી તેનું જ રટણ મનમાં ચાલ્યા કરતું. સુરતમાં કેટલાક રાષ્ટ્રવાદી યુવાનો બોંબ બનાવવાની તજવીજમાં હતા. બાવાભાઈ પણ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હતા. બોંબની તજવીજમાં ફરતા યુવાનોએ કાચા દારુનો જથ્થો બાવાભાઈની ખોલીમાં સંઘર્યો હતો. પોલીસ તો કાબેલ કુતરાની જેમ ગંધ કાઢતી જ હતી. એવામાં સુરતના બોંબ કેસમાં કેટલાક લોકો ઝડપાયા હતા. ઉલટતપાસમાં કોઈકે બાવાભાઈનુંયે નામ આપી દીધું. પોલીસે દરોડો પાડી બાવાભાઈની ખોલીમાંથી દારુગોળો જપ્ત કર્યો. બાવાભાઈને સુરતના બોંબ કેસમાં સંડોવવામાં આવ્યા. બાવાભાઈ બેકાર અને બેહાલ બની ગયા. પરંતુ કોર્ટમાં એમના પરનો આરોપ સાબીત ન થઈ શક્યો. એટલે બાવાભાઈ આબાદ બચી ગયા. છતાં અટકમાં રાખવામાં આવ્યા હતા.

સુરતના બેત્રણ રાષ્ટ્રવાદીઓને સજા કરવામાં આવી હતી. કાંઠાવીભાગમાંથી પણ કેટલાક ઝડપાયા હતા. ગણેશભાઈ સુખાભાઈ, ફકીરભાઈ પરાગભાઈ, ભગતભાઈ લખુભાઈ, પરસોત્તમ લખુભાઈ, મોહનભાઈ ભાણાભાઈ અને દયાનંદ સુખાભાઈને અટકમાં રાખવામાં આવ્યા હતા. અટકમાં રાખવામાં આવેલ કેદીઓ પોતાના પૈસે બહારથી ખાવાનું મંગાવી શકતા હતા. અટકાયતીઓને ઘઉંની રોટી આપવામાં આવતી.

Leave a comment